Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાનના સમુદ્ધ સે સમૃદ્ધિ કાર્યક્રમનું માંડાસણમાં યોજાયું જિવંત પ્રસારણ
જામનગર તા. ૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી સમુદ્ર સે સમૃદ્ધિ યોજના હેઠળ રૂ. ૩૩૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ તથા વિવિધ પ્રોજેકટ્સ રાષ્ટ્રને અર્પણ કર્યા હતા. જેમાં જામનગર શહેર-જિલ્લાના અંદાજિત રૂ. ૮૩૩ કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનો અને તેમાં ૨૦૦ કરોડના પી.એમ. કુસુમ યોજનાનો પ્લાન્ટનો સમાવેશ થતો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં યોજાયેલા સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં રૂ.૩૩૦૦૦ કરોડથી વધુ રકમનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને અર્પણ કર્યા હતા. જે પૈકી જામનગર શહેર-જિલ્લાના અંદાજિત રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં કરવામાં આવ્યું હતું. જેનું ગ્રામજનોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. માંડાસણ ગામ સહિત જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાએ પીએમ કુસુમ યોજના ઘટક-સી ફિડર લેવલ સોલરાઈઝેશનના પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેની કુલ ક્ષમતા ૫૦ મેગાવોટ અને આ પ્રોજેકટનો અંદાજિત ખર્ચ ૨૦૦ કરોડ છે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન રાઠોડ, અગ્રણીઓ દેવાભાઈ પરમાર, મુકેશભાઇ જોશી, જયેશભાઈ ભાલોડિયા, જામનગર પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ, ઓનીક્સ કંપનીના ડાયરેક્ટર ખિલનભાઈ સાવલિયા સહિત કંપનીના કર્મચારીઓ, ખેડૂતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial