Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરતની
જામનગર તા. ર૬: રાજ્ય સરકારે સ્વચ્છતા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને રાજ્યના નાના-મોટા શહેરોમાં અમલદારોને સ્વચ્છતાના પાઠ ભણાવવા આયોજન કર્યું છે, જેમાં હાલારના પણ ચાર નગરનો સમાવેશ થયો છે.
રાજ્યના નગરોમાં સ્વચ્છતાના ઉચ્ચત્તમ ધોરણો જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન હાથ ધર્યું છે, અને ચાર મહાનગર પાલિકાને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. તે ર૦ નગરપાલિકાના શાસકોને 'સ્વચ્છતાના પાઠ' ભણાવશે તેમાં હાલારની ચાર નગર પાલિકાનો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લાની સિક્કા અને જામજોધપુર નગર પાલિકાની જવાબદારી ગાંધીનગર મહાનગર પાલિકાને અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા નગર પાલિકાની અમદાવાદ મહાનગરપાલિકાને અને જામરાવલની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાને જવાબજદારી સોંપવામાં આવી છે. રાજ્યના નાના અગરોમાં પણ સ્વચ્છતા જળવાય રહે તે માટે મોટી મહાનગરપાલિકાને જવાબદારી સોંપાઈ છે.
ખાસ કરીને જાહેરમાં ફેંકાતા કચરાનો કેવી રીતે નિકાલ કરવો, કચરાનું કેવી રીતે વર્ગિકરણ કરવું? સોલીડ વેસ્ટનું વ્યવસ્થાપન વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે કરી શકાય? જાહેર શૌચાલયની સ્વચ્છતા અને વપરાશી પાણીનો નિકાલ લોકજાગૃતિ, નિયમિત આરોગ્યલક્ષી તપાસ વિગેરે ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
હાલારની ચારેય નગર પાલિકાને સતત ૧૦૦ દિવસ સુધી સ્વચ્છતાના પાઠ ઓનલાઈન ભણાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial