Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષ પહેલાં છ મહિનાની થઈ હતી સજાઃ
જામનગર તા. ૨: જામનગરના એક આસામીને ચાર વર્ષ પહેલાં નોંધાયેલા ચેક પરતના કેસમાં બે વર્ષ પહેલાં અદાલતે છ મહિનાની કેદ ફટકારી હતી. ત્યારથી નાસી ગયેલા આ શખ્સને મેહુલનગરમાંથી એસઓજીએ પકડી પાડ્યો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીની શેરી નં.૬માં રહેતા નિલેશ અરજણભાઈ કરમુર નામનમા આસામી સામે વર્ષ ૨૦૨૧માં ચેક પરતની ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને છ મહિનાની કેદ ફટકારી હતી.
સજા થયા પછી છેલ્લા બે વર્ષથી નિલેશ કરમુર હાજર થતો ન હતો અને પોલીસને હાથતાળી આપતો હતો. ઉપરોક્ત આરોપી મેહુલનગર આઈઓસી કોલોની નજીક બગીચા પાસે આવ્યો હોવાની બાતમી એસઓજીના રમેશભાઈ, ફિરોઝ ખફીને મળતા ત્યાં દોડી ગયેલી એસઓજી ટીમે આ શખ્સને પકડી લઈ સિટી સી ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial