Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યા ઘટતા તંત્રને મળી રાહત

મેડિકલ કોલેજ કેમ્પસ સહિત શહેરમાં રોગચાળો અંકુશમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગરમાં એક સમયે ઉપાડો લેનાર ડેન્ગ્યૂનો રોગચાળો હવે અંકુશમાં આવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. તેમાં પણ મેડિકલ કેમ્પસમાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા હતાં, જો કે હવે ત્યાં પણ હાલત સંપૂર્ણપણે અંકુશમાં છે.

જામનગરમાં સિઝનલ રોગચાળાએ ઉપાડો લીધો હતો. તેમાં ખાસ કરીને ડેન્ગ્યૂના કેસની સંખ્યા વિશેષ રહી હતી, અને મેડિકલ કેમ્પસ તો જાણે ડેન્ગ્યૂનું ઘર બન્યું હોય તેમ સમગ્ર વિસ્તારમાં ઘરે  ઘરે ડેન્ગ્યૂના કેસ નોંધાયા હતાં. એક અંદાજ મુજબ ડેન્ગ્યૂના કુલ કેસમાં જ ૭૦ થી ૭પ ટકા કેસ માત્ર મેડિકલ કેમ્પસ વિસ્તારના નોંધાયા હતાં.

જો કે, હાલ સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ગત્ સપ્તાહમાં જામનગર શહેર વિસ્તારમાં છ કેસ, તેના આગલા અઠવાડિયામાં ૮ અને તેના પછી આગલા અઠવાડિયામાં ૧૯ કેસ ડેન્ગ્યૂના નોંધાયા હતાં.

ગઈકાલે સપ્ટેમ્બર માસના પ્રથમ દિવસે બે કેસ નોંધાયા છે. આમ ડેન્ગ્યૂનો ડંખ ઘટ્યો છે. હાલ મેડિકલ કેમ્પસમાં પણ ખાસ કોઈ કેસ નથી તેમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh