Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કતલખાના-વેંચાણ બંધ રાખવા નોટીસ

શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારો દરમિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરમાં પવિત્ર તહેવારોમાં કતલખાના બંધ રાખવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેર નોટીસ પ્રસિદ્ધ કરાઈ છે.

હાલમાં પવિત્ર શ્રાવણ માસના ધાર્મિક તહેવારો આવતા હોય, ધર્મપ્રેમી જનતાની લાગણી ન દુભાય તે હેતુસર શ્રાવણ માસના તમામ સોમવાર તથા જન્માષ્ટમી તેમજ પર્યુષણ પર્વ દરમિયાન જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કતલખાના તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું કતલ-વેંચાણ કરતી તમામ દુકનો બંધ રાખવા જાહેર નોટીસ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી છે.

તમામ સંબંધકર્તાએ આ જાહેર નોટીસની અમલવારી ચૂસ્તપણે કરવી અન્યથા જાહેર નોટીસનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી તેમ જામનગર મહાનગર પાલિકાના કમિશનરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh