Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળ નજીક ઐતિહાસિક ભૂચરમોરી મહા યુદ્ધના સ્મારકનો જિર્ણોદ્ધાર કરવા રજૂઆત

                                                                                                                                                                                                      

સૌરાષ્ટ્ર કલ્ચર એન્ડ હેરીટેજ કેર ટ્રસ્ટના પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણે ધ્રોળ નજીક આવેલા ભૂચરમોરી મેદાનમાં લડાયેલા ઐતિહાસિક મહાયુદ્ધના યુદ્ધ સ્મારકનો જિર્ણોદ્ધાર કરવા રજૂઆત કરી છે. આ યુદ્ધ સ્મારક જે-તે સમયના રાજવી દ્વારા બાંધવામાં આવ્યું હતું, જેમાં યુદ્ધમાં વીરગતિ પામેલા યોદ્ધાઓના પાળિયા તેમજ યુદ્ધનો ચિતાર રજૂ કરતો પ્રાચીન શીલાલેખ પણ મોજુદ છે. આ ઐતિહાસિક યુદ્ધ સ્મારકને રાજ્ય સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત ઈમારત જાહેર કરાયેલ છે. અત્યારે આ સ્મારકનું બાંધકામ ખૂબ જ જર્જરિત થઈ ગયેલ છે. આ યુદ્ધ સ્મારક તથા તેની સાથે જોડાયેલ ધાર્મિક જગ્યા સહિતના બાંધકામોનો જિર્ણોદ્ધાર કરવા તેમણે રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh