Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ચાર હુમલાખોર સામે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં મંગળવારે સાંજે શાકભાજીની ઉઘરાણીના રૃા.૨૫ હજારના મામલે બે વેપારી વચ્ચે જામી પડ્યા પછી આરોપી પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલા મોદીવાડ નજીકની ટીંબાફળીમાં રહેતા રીયાઝ કાદરભાઈ ગજાઈ નામના વેપારી ગયા મંગળવારે સાંજે પોતાની દુકાને હતા ત્યારે ત્યાં ધસી આવેલા તૌફીક મહંમદ રાજકોટીયા, એજાઝ મહંમદ રાજકોટીયા નામના શખ્સોએ ઉધારમાં લઈ ગયેલા શાકભાજીના પૈસાના મામલે બોલાચાલી કરી હતી. આ શખ્સોએ પૈસા આપી દીધા છે તેમ કહી રીયાઝ તથા મુસ્તાક પર હુમલો કરી માર મારવા ઉપરાંત તૌફીકને ડીસમીસથી ઈજા પહોંચાડી હતી.
ત્યારપછી બીજા દિવસે માર્કેટીંગ યાર્ડમાં તૌફીકનો પક્ષ લઈને તેના સંબંધી ઓસમાણ મામદ ઉર્ફે બાબુ તથા મુસ્તુફા સીદીક બોક્સવળા ઉર્ફે ટકા નામના ચાર શખ્સે પાઈપ તથા ઢીકાપાટુથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, મંગળવારે તૌફીકે આ બાબતની પોલીસમાં ફરિયાદ કર્યા પછી ગઈકાલે રીયાઝે વળતી ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial