Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના ખેંગારકા ગામમાં વાડામાં બાવીસ ઘેટાના મૃત્યુઃ રાત્રે રાની પશુએ મારણ કર્યાનું પ્રાથમિક તારણ

એકસાથે બાવીસ ઘેટા ગૂમાવનાર માલધારી પરિવાર સ્તબ્ધ બન્યોઃ

                                                                                                                                                                                                      

ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામ નજીક વસવાટ કરતા અને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગાના ઢોર બાંધવાના વાડામાં ગઈરાત્રે બાંધવામાં આવેલા બાવીસ ઘેટાના મૃત્યુ નિપજ્યાનું આજે સવારે ખૂલ્યું છે. વહેલી સવારે જ્યારે ભીખાભાઈના પરિવારજનો વાડામાં ગયા ત્યારે તેઓએ એકસાથે બાવીસ ઘેટાને મૃત્યુ પામેલા જોઈ આ પરિવાર હેબતાઈ ગયો હતો. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ધ્રોલ પોલીસની ટીમ અને ધ્રોલથી પશુ ચિકિત્સા વિભાગના ડો. ઘેટીયા સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાથમિક દૃષ્ટિએ ઉપરોક્ત ઘેટાઓ પર મોડીરાત્રે કોઈ રાની પશુએ હુમલો કરી તેઓનું મારણ કર્યાનું જણાઈ આવ્યું છે. મોટી સંખ્યામાં પશુધન ગૂમાવતા આ માલધારી પરિવાર સ્તબ્ધ બની ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh