Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૬૩૬ સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને તાલીમ

પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪ઃ શહેર વિકાસ વર્ષ ર૦રપ ની ઉજવણી અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટેનો તાલીમ કાર્યક્રમ એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ, જામનગરમાં યોજવામાં આવ્યો હતો, જેમાં નાયબ કમિશનર ડી.એ. ઝાલા, આસી. કમિશનર (વ.) બી.એન. જાની, ડેપ્યુટી ઈજનેર અશોકભાઈ જોષી, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ગોરી, પ્રોજેક્ટ ઓફિસર પૃથ્વીબેન તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ તાલીમ કાર્યક્રમમાં ૬૩૬ જેટલા સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ હાજર રહ્યા હતાં. તે પૈકી પ ફેરિયાઓને તાલીમ કીટ આપવામાં આવી હતી. ફૂડ વિભાગના ટ્રેનર દ્વારા તમામ સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તે અંગેની સમજ આપવામાં આવી હતી. સાથે ડેપ્યુટી ઈજનેર અશોકભાઈ જોષી દ્વારા પીએમએવાઈ ર.૦ અને સ્વનિધિ ર.૦ તથા સરકારની અન્ય યોજનાઓ વિશે ફેરિયાઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh