Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલોપેથીક દવા આપતા તબીબ સામે ગુન્હોઃ
જામનગર તા. ૮: ખંભાળિયાના ભાણખોખરી ગામના પાટીયા પાસે પ્રેક્ટિસ કરતા આયુર્વેદિક ડોક્ટર એલોપેથીક દવા આપતા મળી આવ્યા છે. જ્યારે દ્વારકાના રૂપેણ બંદર તેમજ ભાણવડના હાથલામાંથી બે બોગસ તબીબ ઝડપાઈ ગયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામના પાટીયા પાસે એક ડોક્ટર આયુર્વેદિક તબીબની ડિગ્રી ધરાવતા હોવા છતાં દર્દીઓને એલોપેથી દવા આપી સારવાર કરતા હોવાની બાતમી પરથી ગઈકાલે ખંભાળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે ભાણ ખોખરીના પાટીયા નજીક પરબતભાઈ સાજણભાઈ ગોજીયાના દવાખાનામાં દરોડો પાડ્યો હતો.
ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રહેતા પરબતભાઈ પાસે બીએએમએસ સર્ટીફિકેટ મળી આવ્યંુ છે. તેઓ એલોપેથી તથા અન્ય દવાઓ આપી બીમાર દર્દીઓની સારવાર કરતા હોવાનું ખૂલ્યું છે. પોલીસે જુદા જુદા તબીબી સાધનો, દવાઓ કબજે કરી પરબતભાઈ ગોજીયા સામે ખંભાળિયા પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
દ્વારકા નજીકના રૂપેણ બંદરમાં શાંતિનગર પાસે આમીન ઈબ્રાહીમ જેઠવા નામના શખ્સના કહેવાતા દવાખાનામાં ગઈકાલે દ્વારકા એસઓજીના સ્ટાફે દરોડો પાડતા આમીન જેઠવા ડોક્ટર ન હોવા છતાં દર્દીઓની સારવાર કરતો મળી આવ્યો હતો. માત્ર ધો.૧ર સુધી અભ્યાસ કરનાર આ શખ્સે દવાખાનુ શરૂ કરી દીધુ હતું. પોલીસે ત્યાંથી પણ તબીબી સાધનો ઝબ્બે લીધા છે.
ભાણવડ તાલુકાના હાથલા ગામમાંથી રમેશભાઈ મનસુખલાલ કુબાવત નામના વૃદ્ધ તબીબ ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial