Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છાતીમાં દુખાવો ઉપડ્યા પછી પ્રાણપંખેરૂ ઉડ્યું:
જામનગર તા. ૮: ધ્રોલના નાના ગરેડીયા ગામમાં એક પ્રૌઢને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવે ગરેડીયા ગામમાં શોક પ્રસરાવ્યો છે.
ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામમાં રહેતા પ્રભાતભાઈ ગોવિંદભાઈ ડાંગર (ઉ.વ.પ૬) નામના ખેડૂત આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં તિવ્ર દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા. ઘરમાં હાજર વ્યક્તિઓએ તેઓને સારવાર માટે ધ્રોલની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
હોસ્પિટલમાં હાજર તબીબોએ સારવાર શરૂ કરી હતી. તે દરમિયાન પ્રભાતભાઈનું પ્રાણપંખેરૂ ઉડી ગયાનું જણાઈ આવ્યું હતું. પ્રભાતભાઈના અવસાનના અહેવાલથી નાના એવા ગરેડીયા ગામમાં શોકનું મોજુ પ્રસરી જવા પામ્યું છે. મહેનતું સ્વાભાવના પ્રભાતભાઈને સંતાન ન હોવાના કારણે પરિજનોમાં ભારે આઘાત અને દુખની લાગણી પ્રવર્તી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial