Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં બી.એ.પી.એસ.ના વડા પૂ. મહંત સ્વામીનું આગમન

સ્વાગત સમારંભરૂપી ધર્મોત્સવઃ ભકતોને આશીર્વચનઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં બી.એ.પી.એસ. સંસ્થાનાં વડા અને સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રમુખ સંત ગણવામાં આવતા પૂ. મહંત સ્વામી મહારાજનું નૂતન વર્ષ નિમિત્તે ગઇકાલે જામનગરનાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પાવન આગમન થયું હતું. બાળકો - યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી તથા ધર્મ ધ્વજ ફરકાવી મહંત સ્વામીનું સ્વાગત કર્યુ હતુ તો મહિલા ભક્તોએ કલાત્મક રંગોળીઓ રચી હતી. ઠાકોરજીનાં દર્શન કર્યા પછી મહંત સ્વામી સ્વાગત સમારંભરૂપી ધર્મોત્સવમાં પધાર્યા હતાં. ધર્મોત્સવમાં જામનગર ઉપરાંત, ખંભાળીયા, ભાણવડ, જામજોધપુર વગેરે ક્ષેત્રોમાંથી પધારેલા હજારો હરીભક્તો વતી કોઠારી સ્વામી પૂ. ધર્મનિધિ સ્વામી તથા અન્ય સંતોએ પૂ. મહંત સ્વામીનું ફૂલમાલાઓ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું.આ ધર્મોત્સવમાં સેંકડો સંતો અને હજારો હરિભક્તોએ પ્રદક્ષિણા, દંડવત, સહજાનંદ નામાવલિ પાઠ, નિર્જળા - સજળા ઉપવાસ, ધારણા પારણા વગેરે તપ-વ્રત પૂ.મહંત સ્વામીને અર્પણ કર્યા હતાં. પૂ. મહંત સ્વામીએ 'છોટીકાશી' નાં હરિભક્તોની શ્રદ્ધા ભક્તિ અને સેવાભાવની પ્રશંસા કરી નૂતન વર્ષના આશીર્વચન પાઠવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh