Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સુભાષ શાક માર્કેટની ફરતે પારાવાર ગંદકીનું સામ્રાજ્યઃ જાહેર આરોગ્ય પર ઝળુંબતો ખતરો

મુખ્ય ઈમારતને તાળા માર્યા પછી ફળ-શાકભાજીના વિતરકો બેસે છે ત્યાં

                                                                                                                                                                                                      

જામનગરની સુભાષ શાક માર્કેટ જર્જરિત હાલમાં હોવાથી શાક માર્કેટ બંધ કરી દેવાામાં આવી છે, જ્યારે શાકભાજી-ફ્રૂટ વિક્રેતાઓ માર્કેટની બહાર વેપાર-ધંધો કરી રહ્યા છે. સુભાષ શાક માર્કેટ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે કોઈ હિસ્સો તૂટી પડે તો માનવ જાનહાની થવાની શક્યતા રહે છે. તેને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા આ માર્કેટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે, અને બે અઠવાડિયા પહેલા આ માર્કેટને તાળા મારી દેવામાં આવ્યા છે. હાલ એક પણ શાકભાજી કે ફ્રૂટ વિક્રેતા ધંધાર્થીઓને માર્કેટમાં અંદર જવા દેવામાં આવતા નથી. આથી તમામ ધંધાર્થીઓ માર્કેટની બહાર પોતાનો ધંધો કરે છે, જો કે આ ધંધાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થળે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાયું છે. જેથી જાહેર આરોગ્ય માટે પણ જોખમકારક છે, તેથી આ બહારની શાકમાર્કેટ બંધ કરાવવાની માંગણી ઊઠી રહી છે. આગામી સમયમાં આ માર્કેટને તોડી પાડવામાં આવશે. એ પછી કોઈ નવી વ્યવસ્થા બે સ્થળે થશે તેમ જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh