Advertisement
Author: નોબત સમાચાર

મામાના ઘેરથી પોતાના ગામ જવા નીકળેલા યુવતી ગુમ થઈ જતાં પોલીસને જાણ કરાઈ

ગયા શનિવારે એસટી બસમાં રવાના થયા હતાઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૩૦: કાલાવડના ભગત ખીજડિયા ગામના એક યુવતી ગયા શનિવારે પોતાના મામાના ઘેર ધુતારપરથી કાલાવડ આવવા માટે એસટી બસમાં નીકળ્યા પછી લાપત્તા બની ગયા છે. તે યુવતીના ભાઈએ પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામના દિલીપભાઈ ગાંગજીભાઈ દેગડા નામના યુવાનના નાના બહેન ગૌરીબેન (ઉ.વ.ર૭) થોડા દિવસ પહેલાં ધુતારપરમાં રહેતા મામા મનસુખભાઈ કાળુભાઈ આઠુના ઘેર દિવાળીના તહેવારોમાં ગયા પછી ગઈ તા.રપની બપોરે મનસુખભાઈએ પોતાના ભાણેજ દિલીપભાઈને ફોન કર્યાે હતો.

આ વેળાએ મનસુખભાઈએ પોતાનું કહ્યું માન્યા વગર ગૌરીબેન એકલા કાલાવડ જવાનું કહીને એસટી બસમાં નીકળ્યા છે અને કાલાવડ બસ સ્ટેન્ડ પર પહોંચો તેમ કહ્યું હતું. આથી દિલીપભાઈ કાલાવડ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા જ્યાં આવેલી બસમાંથી ગૌરીબેન મળી ન આવતા તેઓએ પોતાની બહેન ગુમ થઈ ગયાની પોલીસમાં જાણ કરી છે. આ યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પંચકોશી એ ડિવિઝનના એએસઆઈ ડી.એ. રાઠોડનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh