Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાળાના ઘેર પુત્રીઓને તેડી જવા આવ્યા હતાઃ
જામનગર તા. ૫: ઓખામંડળના આરંભડામાં સાળાના ઘેર પુત્રીઓને તેડી જવા માટે બુધવારે આવેલા ગુરગઢ ગામના એક યુવાનને નિદ્રાની હાલતમાં છાતીમાં દુખાવો ઉપડયા પછી તેઓનું સારવારમાં ખસેડાયા તે દરમિયાન હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
ઓખામંડળના મીઠાપુર નજીકના આરંભડા ગામની સીમમાં રબારી પાડામાં રહેતા પોતાના સાળાના ઘેર પુત્રીઓને તેડી જવા માટે બુધવારે કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામના સુભાષભાઈ ભીમાભાઈ જગતીયા (ઉ.વ.૪૫) નામના વાણંદ યુવાન આવ્યા હતા.
જ્યાં તેઓ બુધવારે રાત્રે નિદ્રાધીન થયા પછી ઉંઘમાં તેઓનો ઉધરસ ખાવાનો અને ઉંડા શ્વાસ લેવાનો અવાજ સંભળાતા સારવાર માટે નજીકના દવાખાને લઈ જવાયા હતા જ્યાં આ યુવાનનંુ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર થયું છે. તેમના ભાઈ અરજણભાઈ જગતીયાએ પોલીસને વાકેફ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial