Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ અધિનિયમ અંતર્ગત રજી સ્ટ્રેશન કરાવવું ફરજિયાત

આગામી તા. ૧૨ સપ્ટેમ્બર સુધીમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૫: ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ અંતર્ગત જુદી-જુદી ચિકિત્સા પદ્ધત્તિઓ જેવી કે એલોપેથી, આયુર્વેદ, હોમીયોપેથી, સિધ્ધ અને યુનાની સેવાઓ આપતી જાહેર તથા ખાનગી તથા ટ્રસ્ટ સંચાલિત તબીબી સંસ્થાઓ જેવી કે, કિલનીક, હોસ્પિટલ, પ્રસુતિ ગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, લેબોરેટરી, એક્ષ-રે અને ઈમેજિંગ સેન્ટરોએ નોંધણી કરાવવી આવશ્યક છે. આ અધિનિયમનું જિલ્લા દેવભૂમિ દ્વારકા સહિત સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં સઘન અમલીકરણ કરવામાં આવી રહૃાું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તબીબી સેવાઓ આપતા કલીનીક, હોસ્પિટલ, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, લેબોરેટરી, એક્ષ-રે અને ઈમેજિંગ સેન્ટરોના સંચાલક / ડોકટરોને નિયત સમય મર્યાદા તા.૧૨/૦૯/૨૦૨૫ સુધીમાં આ અધિનિયમ અંતર્ગત બિનચૂક નોંધણી કરાવવા અપીલ કરવામાં આવે છે.

નિયત સમય મર્યાદા બાદ એવી સંસ્થાઓ કે જે આ અધિનિયમ હેઠળ નોંધણી વગર તબીબી સેવાઓ આપતી હોવાનું ધ્યાને આવશે તેમના વિરુધ્ધ નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે મુજબનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.બી. ચોબીસાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh