Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્થાના પ્રમુખ વેલજીભાઈના જન્મદિને
જામનગર તા.૪: જામનગર કેન્સર કેર કાઉન્સિલ દ્વારા આયોજિત અને ઓશવાળ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાહ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશનના પ્રમુખ વેલજીભાઈ મોકરભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે ઓશવાળ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટમાં કેન્સર પીડિત પરિવાર માટે રાશન કીટ વિતરણ, દવા વિતરણ, કેન્સર અવેરનેસ કાર્યક્રમ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ ત્રીજી ઓગષ્ટે યોજાયો હતો.
આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન દાતા વેલજીભાઈ મોકરભાઈ શાહ, ઉદ્યોગપતિ આર.કે.શાહ, ઓતુભાઈ હરણીયા, ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢીયા, લાયન્સ ક્વિન્સ પ્રમુખઝોન ૯ના ચેરપર્સન ધ્રુવીબેન સોમપુરા, લાયન્સ ઈસ્ટના હેમેશભાઈ વશા, ડો.જાવેદભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર મોહસીનભાઈ ખફી, નરેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઊરેશભાઈ મણીયાર, જયશ્રીબેન મણીયાર, દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
રાશનકીટ વિતરણ, દવા વિતરણ વેલજીભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે આમંત્રીત મહેમાનો દ્વારા કરવામાં આવેલ, જુદી જુદી સંસ્થા દ્વારા વેલજીભાઈ શાહનું શુભેચ્છા સાથે સન્માન કરવામાં આવેલ. આ તકે વેલજીભાઈ શાહે પ્રવચનમાં તમામ પ્રકારની સેવાની ખાતરી આપી હતી. સર્વરોગ નિદાન કેમ્પમાં ફિઝિયોથેરાપી ડો.નિરાલી કારીયા, દાંતના ડો.જીતલ ભટ્ટ, હાડકાની ઘનતા માટે આશિતભાઈ આચાર્ય, એક્યુપ્રેશર માટે ઉપેન્દ્રસિંહ કુશવાહએ સેવા આપી હતી. આ કેમ્પમાં કુલ ૧૨૫ લાભાર્થીઓેએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ ચેરમેન મનીષાબેન ચૌહાણ, સુરેશભાઈ ભીંડી, ડો.પલવીબેન પારેખ, રાકેશભાઈ સોમપુરા, હરીશભાઈ ચૌહાણ, સ્નેહા ચૌહાણ, પિયુશભાઈ ધ્રુવ, હીનાબેન અગ્રાવતે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ. આભાર વિધિ હેમેશભાઈ વશાએ કરેલ. કાર્યક્રમનું સંચાલન કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial