Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.ર.૩૯ લાખની કરી લીધી છેતરપિંડીઃ
જામનગર તા. ૪: ઓખામંડળના આરંભડામાં આવેલા રાંધણગેસના ગોડાઉનમાંથી કુલ ૧૫૭ બાટલા ભરી જુદા જુદા ગ્રાહકને પહોંચાડનાર ચાર પરપ્રાંતીય શખ્સ રૂ.ર લાખ ઉપરાંતની રોકડ સાથે રાખી પોબારા ભણી ગયા છે.
ઓખામંડળના મીઠાપુરમાં આરંભડા સીમમાં રહેતા અને સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા નરેન્દ્રભાઈ જાદવજીભાઈ ટાકોદરાએ મીઠાપુર પોલીસ મથકમાં રાજસ્થાનના જોધપુર જિલ્લાના ઘંટીયાણી ગામના મુલારામ રત્નારામ રાયકા, ત્રિલોક રત્નારામ, મુલારામ રાયકા, રામસ્વરૂપ રાયકા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ આ ચાર શખ્સ રાંધણગેસનો બાટલો ગ્રાહકોને પહોંચાડવાનું કામ કરતા હતા. તે પછી આ શખ્સો ડોમેસ્ટીક તથા કોમર્શિયલ મળી ૧૫૭ બાટલાની કુલ રૂ.૨,૩૯,૨૦૬ની રકમ પોતાની પાસે રાખી ગઈ તા.૧ના દિને પોબારા ભણી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial