Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એસ.ટી. બસ સ્ટેશનમાં સ્વચ્છોત્સવ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭ : ભારત સરકાર દ્વારા તા. ૨ ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસરે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના અવસરે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ની સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામગર જિલ્લામાં પણ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છોત્સવ-૨૦૨૫ અંતર્ગત ગુજરાત રાજ્ય માગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગ દ્વારા જામનગર બસ સ્ટેશનમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓ અને સફાઈકર્મીઓ દ્વારા પ્લેટફોર્મ, ઓફિસો, સ્ટોરરૂમ, ટાયરરૂમની સફાઈ કરી કચરો એકત્રિત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh