Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાને 'નિર્મળ ગુજરાત' એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે એનાયત

૧૦ લાખની વસ્તી ધરાવતા શહેરોમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે ગાંધીનગરમાં નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૦ લાખની વસ્તી ધરાવતા શહેરમાં જામનગર મહાનગરપાલિકાને પ્રથમ નંબરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓએ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતાં.

જામનગર મહાનગર પાલિકાને ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 'નિર્મલ ગુજરાત' એવોર્ડ આપવામાં આવ્યો હતો. જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, અને કમિશનર ડી.એન. મોદીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ સમયે સેનીટેશન કમિટીના અધ્યક્ષા જશુબા ઝાલા, અધિકારી મુકેશ વરણવા, કટેશિયાભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ગઈકાલે ગાંધીનગરમાં સ્વચ્છ ભારત મિશન અન્વયે ચિંતન શિબિર યોજાઈ હતી. આ પછી મુખ્યમંત્રીના હસ્તે અલગ-અલગ કેટેગરી અન્વયે મહાનગરપાલિકાને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતાં, જેમાં ૧૦ લાખની વસ્તી ધરાવતા શહેરોમાં રાજ્યની ૧૩ નગરપાલિકામાંથી જામનગર મહાનગરપાલિકાને પ્રથમ નંબરનો એવોર્ડ મળ્યો હતો. સાથે જ રૂ. ૧ કરોડ રપ લાખનો ચેક પણ મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગર પાલિકાને આપવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh