Advertisement
Author: નોબત સમાચાર

સિક્કામાં વિધવા મહિલાની ધારદાર હથિયારથી ઘા ઝીંકી કરપીણ હત્યા

સંપર્કમાં રહેલા શખ્સે હત્યા કર્યાની સેવાઈ આશંકાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર તાલુકાના સિક્કા ગામમાં વસવાટ કરતા એક વિધવા મહિલાની ગઈકાલે કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. આ મહિલાને ધારદાર હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા સિક્કા પોલીસનો કાફલો દોડી ગયો છે.

આ બનાવની વધુ વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં એક વિધવા મહિલા પોતાના બે સંતાન સાથે વસવાટ કરે છે. પતિના અવસાન પછી બંને સંતાનોને ઉછેરવાની જવાબદારી ઉઠાવી રહેલા આ મહિલા સાથે થોડા સમય પહેલાં એક હોટલ સંચાલક આવ્યો હતો. તે પછી બંને વચ્ચે પરિચય વધ્યો હતો.

તે દરમિયાન ગઈકાલે રાત્રે છત્રીસેક વર્ષના આ મહિલાની હત્યા કરી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. તે મહિલાને કોઈ ધારદાર હથિયારથી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ધસી ગયો છે. તે મહિલાને તેની સાથે સંપર્કમાં રહેલા હોટલ સંચાલકે મોત આપ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. મૃતદેહને પોલીસે પીએમ માટે જામનગર ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh