Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષથી પિતા-પુત્ર નાસી ગયા હતાઃ
જામનગર તા. ૨: જામનગરમાં એક આસામીને ગિરવે મૂકેલુ સોનુ છોડાવી દઈ બજાર ભાવથી વેચ્યા પછી કમીશન આપવાની લાલચ બતાવી બે વર્ષ પહેલાં રૂ.૪ લાખની છેતરપિંડી કરાઈ હતી. તે ગુન્હામાં નાસતા ફરતા પિતા-પુત્રને પકડી લેવામાં આવ્યા છે.
જામનગરના એક આસામીને ખાનગી કંપનીમાં ગિરવે રાખવામાં આવેલુ સોનુ છોડાવી લઈ બજાર ભાવે તેને વેચી નાખી એક વ્યક્તિને કમીશન આપવાની લાલચ બતાવી વર્ષ ૨૦૨૩માં રૂ.૪ લાખની છેતરપિંડી કરાઈ હોવાની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ ગુન્હામાં પોલીસે તપાસ દરમિયાન જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ગ્રિનસિટીમાં રહેતા અને હાલમાં રાજકોટના રૈયાધારમાં વસવાટ કરતા મીનેશ ઉર્ફે નિમેશ અતુલભાઈ પિત્રોડા અને તેના પિતા અતુલભાઈ અમૃતલાલ પિત્રોડાના નામ ઉપસી આવ્યા હતા. ત્યારથી બંને પિતા-પુત્ર પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા હતા. ઉપરોક્ત આરોપીઓ અંગે બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે બંનેને દબોચી લીધા છે અને તેનો કબજો સિટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial