Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર વીએચપીના આગેવાનો પણ જોડાયા
જામનગર તા.૫: તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક રાજકોટમાં મળી હતી. જેમાં સંગઠન મજબૂતી માટે ચર્ચા થઈ હતી.
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક રાજકોટમાં યોજાઇ હતી. જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા ચર્ચાઓ કરવામાં આવી હતી. જામનગરના આગેવાનો પણ આ બેઠકમાં જોડાયા હતા.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સેવા ભારતી કાર્યાલય રાજકોટમાં તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઇ હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ગોપાલજી, કેન્દ્રીય મંત્રી આનંદ હરબોલા, કર્ણાવતી ક્ષેત્રીય સંગઠન મંત્રી રંગરાજે, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ ભીંડી, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી દેવજીભાઈ મ્યાત્રા ઉપસ્થિત રહયા હતા. આ બેઠક માં વિશ્વ હિન્દુ પરિષદ ના સંગઠન માં વધારે ને વધારે હિંદુ સમાજના લોકો જોડાય તેમજ સામાજિક, સમરસતા, ધર્માંતરણ અને સંગઠન વધારે મજબુત થાય તેવા વિષયો પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં સંગઠનના પ્રાંત કક્ષાએ તેમજ જિલ્લા કક્ષા એ નવી નિમણૂકો કરીને અલગ અલગ જવાબદારી ઓની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરમાંથી ભરતભાઈ ડાંગરિયા - સૌરાષ્ટ્ર પ્રાંત વિશેષ સંપર્ક પ્રમુખ, લીરીબેન માડમ-સૌરાષ્ટ્ર પ્રાંત નૈતિક મુલ્ય પ્રમુખ, વિશાલભાઈ ખખ્ખર સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ, સુબ્રમણ્યમ પિલ્લે-જામનગર વિભાગ વિશેષ સંપર્ક પ્રમુખ, હેમતસિંહ જાડેજા-જામનગર મહાનગર ઉપાધ્યક્ષ, રસીકભાઈ અમરેલીયા મંત્રી જામનગર મહાનગર, કલ્પેન રાજાણી-સહમંત્રી જામનગર મહાનગર, ભગીરથસિંહ વાળા-બજરંગદળ સંયોજક જામનગર જિલ્લો, ટીકુંબેન અજા-સંયોજિકા માતૃશક્તિ જામનગર મહાનગરની નવી નિમણૂક કરવામાં આવી હતી. આ નવનિયુક્ત થયેલ હોદેદારઓને વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગરના અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ ઓમકારના નાદ સાથે આવકારી હતી અને શુભેચ્છા પાઠવી હતી.
આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ સંયોજક રવિરાજસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર પ્રાંત માતૃશક્તિ સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગર અધ્યક્ષ-વિજયભાઈ બાબરિયા, જામનગર વિભાગ મંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, મંત્રી રસીકભાઈ અમરેલીયા, સહમંત્રી વિજયભાઈ વોરા, બજરંગ દળ સહસંયોજક ધ્રુમીલ લંબાટે, માતૃશક્તિ સંયોજિકા વર્ષાબેન નંદા, માતૃશક્તિ સહસંયોજિકા ભાવનાબેન ગઢવી, સત્સંગ પ્રમુખ પ્રફુલાબેન અગ્રાવત તેમજ સેવા પ્રમુખ કિંજલભાઈ કારસરિયા હાજર રહૃાા હતા. તેમ મંત્રી રસિકભાઈ અમરેલીયા વિશ્વ હિંદુ પરિષદ જામનગર મહાનગરે યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial