Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત બે માસ સુધી ઋતુ અનુસાર શીતલ ઠંડક માટે
દ્વારકા તા. ર૯: દ્વારકાધીશ જગતમંદિરમાં વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયાના પાવન અવસરે દ્વારકાધીશ રાજાધીરાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતલ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાન કરવામાં આવશે. વર્તમાન યુગમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પંખો, એર કન્ડીશન્ડ તથા અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે. જ્યારે જગતમંદિરમાં કાળિયા ઠાકોરને ગરમીથી બચવા માટે પૂજારી પરિવાર દ્વારા શિતળતાનો અહેસાસ કરાવતા ચંદન વાઘાનો શ્રૃંગાર કરીને પુષ્પ શ્રૃંગારની શરૂઆત કરવામાં આવે છે. પૃષ્પશ્રૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ મુજબ વૈશાખ સુદ-૩ થી અષાઢ સુદ-૧ સુધી સતત બે માસ સુધી ચાલશે. જગતમંદિરમાં ચંદન વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતીયાના દિને જ થાય છે. આ સાથે શ્રીજીને રાજાધિરાજ શ્રૃંગાર દર્શનનો ગ્રીષ્મ ઋતુ પહેલાનો આજે છેલ્લો દિવસ છે. અન્ય દેવાલયોની જેમ દ્વારકાધીશ મંદિરમાં પણ સૂર્યોદય અનુસાર આવતીકાલ તા. ૩૦ ને બુધવારે ઉદ્યાત કાળમાં જગતમંદિરમાં અક્ષય તૃતીયા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.
ગ્રીષ્મ ઋતુનુસાર ભગવાનને ઠંડા ભોગ અર્પણઃ પ્રણવ પૂજારી
બપોરે ૧ર કલાકે શ્રીજીની વિશેષ શ્રૃંગાર આરતી યોજવામાં આવશે અને બપોરે ૧-૩૦ કલાક સુધી દર્શન થશે. જગતમંદિરના પ્રણવભાઈ પૂજારીના જણાવ્યા મુજબ ગરમીની ઋતુથી બચવા અને શીતળતા પ્રદાન કરવા શ્રીજીને ઠંડા ભોગ એટલે કે મુરબ્બાનું અથાણું, કેરી તથા અન્ય સામગ્રીથી બનાવેલ ગરમાળું, શીખંડ, ખારી મગની દાળ, ચણાની મીઠી દાળ- આ પ્રકારના ઠંડા ભોગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે સામાન્ય સંજોગોમાં હિન્દુ સમાજના લોકો માટે અતિ શુભ હોય વાસ્તુપૂજા, લગ્નવિધિ, ગૃહપ્રવેશ વગેરે શુભ કાર્યો કરવા માટે ઉત્તમ દિન ગણાય છે, અને સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ શુભકાર્ય થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial