Advertisement
Author: નોબત સમાચાર

છેલ્લી ઘડીએ ઢગબંધ ફોર્મ નંબર ૭ રજૂ કરીને નામો કાઢી નાખવાનો કારસો ઘડાયો હોવાનો આક્ષેપ

જામનગર કલેક્ટર કચેરીમાં પહોંચી કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ ગુજરાત રાજ્યની મતદાર યાદીમાં ખાસ સુધારણા-ર૦ર૬ સંદર્ભે તા. ૧૯-૧ર-ર૦રપ ના મુસદા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેમાં વાંધા-સૂચન અને દાવા માટે ફોર્મ નંબર ૬, ૭ અને ૮ ભરવાની છેલ્લી તારીખ ૧૮-૧-ર૬ ના નિર્ધારિત કરવામાં આવી હતી. અચાનક તા. ૧૬-૧-ર૬ થી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેના ફોર્મ નંબર ૭ હજારોની સંખ્યામાં મળ્યા હતાં.

રાજકીય પ્રભાવ હેઠળ છેલ્લી ઘડીએ ફોર્મ-૭ વાંધાના મોટી સંખ્યામાં આવેલા ફોર્મ સાથે આજે જામનગરમાં કોંગ્રેસ આગેવાનો-કાર્યકરોએ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને તપાસની માગ કરી હતી.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે કે નામ કાઢી નાખવા માટે વાંધો ત્યારે જ કરી શકાય જ્યારે અન્ય આધારો અને દસ્તાવેજી પુરાવાઓ જેમ કે મતદારનું મૃત્યુ પ્રમાણપત્ર, રહેઠાણમાં ફેરફારનો પુરાવો વગેરે હોય. આવા વાંધા માત્ર મતદાર અથવા બીએલઓ જ રજૂ કરી શકે.

સત્તાધારી પક્ષ દ્વારા સુનોયોજીત રીતે ચોક્કસ જ્ઞાતિ, ધર્મ તથા પક્ષ તરફી મતદારોનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે રજૂ થયેલ છે.

ફોર્મ ૭ વાંધાનું સંકલીત ફાઈલીંગ ભાજપ દ્વારા ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢી નાખ્યા અને મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે ઈરાદાપૂર્વકનું અને મુક્ત તથા નિષ્પક્ષ ચૂંટણીઓને નબળી પાડવાનું કાવત્રુ હોય તેમ લાગે છે. તેવો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ છે. હાલના સંજોગોમાં સત્તા પક્ષ સામે સૌથી મોટો વિપક્ષ ગણાય છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષ તરીકે ગુજરાતના મતદારો મતદાનથી વંચિત રહી જાય નહીં અને સાચા મતદારોના નામો રદ્ થાય નહીં તે માટેની આ માગ છે.

તા. ૧૬ થી ૧૮ જાન્યુઆરી સુધીમાં ફોર્મ મળ્યા છે. ત્યારના સીસી ટીવી કુટેજ આપવાની પણ કોંગ્રેસે માગ કરી છે અને આવા ફોર્મ સ્વીકારનાર અધિકારીની ભૂમિકા પણ તપાસવામાં આવે.

રાજ્યમાં પણ જેટલા આવા ફોર્મ ભરાયા છે તેની પણ તપાસ જરૂરી છે. જો લોકશાહીના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચિમકી આપવામાં આવી છે.

આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ આગેવાન સહારાબેન મકવાણા, જે.પી. મારવિયા, મનોજ કથીરિયા, કોર્પોરેટરો કાસમભાઈ ખફી, આનંદ રાઠોડ, રચનાબેન નંદાણિયા, પાર્થ પટેલ સહિતનાઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh