Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ભરબપોરે ઘરફોડ ચોરી તસ્કરો રૂ. સવા ત્રણ લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા

ફક્ત બે કલાકમાં જ ચોરીને અંજામ અપાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: દ્વારકામાં રાણેશ્વર મંદિર પાછળના વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી તસ્કરો ભરબપોરે રૂપિયા સવા ત્રણ લાખની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

દ્વારકામાં રાણેશ્વર મંદિર પાછળ રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા વાલજીભાઈ કરશનભાઈ ભટ્ટ (ઉ.વ.૩૫)ના રહેણાંક મકાનમાંથી ગત તા.ર૩ના બપોરે એકથી ત્રણ વાગ્યાના બે કલાકના સમયગાળા દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ બંધ રૂમનંુ તાળુ તોડીને અને ત્યારપછી કબાટના તાળા તોડીને રૂ. ર લાખ ૭૦ હજારની કિંમતના ત્રણ તોલા વજનનો સોનાનો હાર, રૂ. ૪૫ હજારની સોનાની વીટી, રૂ. ૧૦ હજારની રોકડ તેમજ અન્ય સોના-ચાંદીના ઘરેણા વગેરે મળી કુલ રૂ. ૩ લાખ ૩૦ હજારની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે ગઈકાલે બપોરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ સબ ઈન્સ. કે.કે. મારૂ તપાસ અર્થે દોડી ગયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh