Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગરના
જામનગર તા. ૧૭: જમનગરના આશરે રૂ. ૧૦૦ કરોડના ખર્ચવાળા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તા. ર૦ ના પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી રીતે કરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જામનગર શહેરની મધયમાં તળાવની પાળે આવેલ ભૂજિયા કોઠાને ભૂકંપમાં ભારે નુક્સાન થયું હતું. આ પછી લાંબા સમયગાળા પછી રેસ્ટોરેશન માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને રૂ. ર૩ કરોડના ખર્ચથી ભૂજિયા કોઠાનું રેસ્ટોરેશનનું કામ પૂર્ણ થયું છે.
આ ઉપરાંત હાપા માર્કેટ યાર્ડ માર્ગે રૂ. ૪૧ કરોડના ખર્ચથી ઓવરબ્રિજ બનાવાય છે તેનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે તથા આશરે ૩પ કરોડ રૂપિયાના ખંભાળિયા માર્ગે વિશાલ હોટલ પાછળના વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ર૦ ના ભાવનગર આવી રહ્યા છે, જ્યારે જામનગરના આશરે ૧૦૦ કરોડના ખર્ચવાળા ત્રણેય પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ વર્ચ્યુલી રીતે તેમના હસ્તે કરવામાં આવનાર છે. આ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial