Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી

મેઘાવી માહોલ-વરસાદી છાંટા વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગરમાં મેઘાવી માહોલ અને વેગીલા વાયરાઓના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું. વરસાદની આવન-જાવનના કારણે વાતાવરણમાં ઠંડક યથાવત રહી હતી.

જામનગરમાં વરસાદની આગાહી વચ્ચે વરસાદી ઝાપટા પડવાનો દોર યથાવત્ રહ્યો છે. ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો. જામનગરમાં મેઘાવી માહોલ અને તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો રપ.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા સુધી ઘટીને ૯૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. મેઘાવી માહોલ અને વેગીલા વાયરાઓના પગલે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh