Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત મુંજાવર-ટ્રસ્ટીના નામ જાહેર કરાયાઃ
જામનગર તા. ૨૧: જામનગર-જોડિયા ધોરીમાર્ગ પર આવેલા બાલાચડીમાં આકુપીરની દરગાહના મુંજાવરના નામ અંગે થયેલા વિવાદનો ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા નિકાલ લાવવામાં આવ્યો છે. બોર્ડે સાત મુંજાવરના નામ મંજૂર કર્યા છે.
જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં આવેલી હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીકસમી યાકુબ પીર (યાકુપીર)ની દરગાહના વર્ષાે જૂના મુંજાવરના વારા તેમજ નામ માટે ગુજરનાર ઈસ્માઈલશા સુલ્તાનશાના વારસદારો મલુકશા, મામદશા, જુમાશા, સીદીશા, ગુલાબશાના વારસો વચ્ચે કોર્ટ કેસ થયા હતા.
ગુજરાત વ.ક.ફ. બોર્ડ સમક્ષ અંતમાં અલગ અલગ વારસો દ્વારા જુદા જુદા ફેરફાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. તે તમામ રિપોર્ટ બાબતે વ.ક.ફ. બોર્ડે તમામ અરજદારોને સાંભળ્યા પછી બેઠકમાં થયેલા ઠરાવ મુજબ ઈસ્માઈલશાના વારસદારોના નામો બાબતે મંજૂરી આપવામાં આવી છે.
ગુજરનારના વારસ શાહમદાર હનીફશા જુમાશા, અબ્બાસશા વલીશા શાહમદાર, યુનુસશા અકબરશા શાહમદાર, જાવિદશા કરીમશા શાહમદાર, અનવરશા ગુલાબશા શાહમદાર, રફીકશા ગુલાબશા શાહમદાર, રસુલશા ગુલાબશા શાહમદારના નામ નવા મુંજાવર-ટ્રસ્ટી તરીકે મંજૂર કરાયા છે અને જૂના વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ગુલાબશા શાહમદારના વારસો તરફે વકીલ હાજી હસન ભંડેરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial