Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરપંચ-ઉપસરપંચ "નિક્ષય મિત્ર" તરીકે જોડાયા
જામનગર તા. ર૧: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શેઠવડાલા અંતર્ગત ભોજાબેડી ગામમાં ટીબી જાગૃતિ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગ્રામજનોને ટીબી રોગના ફેલવા, લક્ષણો, નિદાન અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરપંચ પૂંજાભાઈ વારસકીયા અને ઉપસરપંચ પૂંજાભાઈ સરસીયાએ ટીબીના દર્દીઓને માનસિક અને સામાજિક ટેકો પૂરો પાડવા માટે 'નિક્ષય મિત્ર' તરીકે જોડાઈને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપર પ્રસાદ, જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ આયોજીત આ શિબિરમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતાં.
મેડિકલ ઓફિસર ડો. પાર્થ મકાતી, જિલ્લા પી.પી.એમ. કોર્ડિનેટર ચિરાગ પરમાર, ટીબી સુપરવાઈઝર પ્રવિણભાઈ ચાવડા અને સી.એચ.ઓ. પ્રદીપભાઈ સાગઠીયાએ સરકાર દ્વારા અપાતી 'નિ-ક્ષય પોષણ યોજના' અને સારવારની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટીબીની સારવાર ૬ મહિના કે તેથી વધુ સમય ચાલે છે, જે દરમિયાન દર્દીને પરિવાર અને સમાજના સહકારની (સાયકોલોજીકલ સપોર્ટ) ખાસ જરૂર હોય છે. આ જરૂરિયાતને સમજીને ગામના બન્ને મોભીઓએ નિક્ષય મિત્ર તરીકે જવાબદારી સ્વીકારી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial