Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં સ્વ. વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા આયોજીત
દ્વારકામાં દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારૂદ્ર અભિષેકમાં સંમેલિત થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેપાળી બાબા સહિત સંતોના આશીર્વાદ લીધા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકામાં દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારૂદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતાં. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરી દ્વારકાના નાગેશ્વર રોડ પર સ્વ. વિરમભા આશાભા માણેકની પ્રેરણાથી દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે આયોજિત દેવી ભાગવત કથા અને શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારૂદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતાં. મુખ્યમંત્રીએ નેપાળી બાબા (પરમ તપસ્વી સંત આત્માનંદદાસ મહાત્યાગી) ના આશીર્વાદ મેળવી વિષ્ણુ લોક હવન યજ્ઞશાળા અને શિવ લોક નામ જપ યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનિય છે કે, તા. ૩૧ જાન્યુઆરી ર૦ર૬ સુધી આયોજિત આ ધાર્મિક આયોજનમાં ભારતભરમાંથી ર૧ હજાર બ્રાહ્મણો દ્વારા પ૮ કરોડ જાપ કરવામાં આવી રહ્યા છે તેમજ દેશભરમાંથી સાધુ-સંતો-મહાત્માઓ આ આયોજનમાં સંમેલિત થયા છે. મુખ્યમંત્રીની મુલાકાત વેળાએ ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મૂળુભાઈ બેરા, કલેક્ટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial