Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બમથીયામાં વૃદ્ધાને ઝેરી જનાવરનો દંશઃ
જામનગર તા. ૯: જામજોધપુરના મેલાણ ગામના એક બીમાર ખેડૂત દવા લેવા છતાં છેલ્લા ત્રણેક મહિનાથી ઉંઘ ન આવવાથી હેરાન હતા તેઓએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે બમથીયા ગામમાં એક વૃદ્ધાને પગમાં કોઈ ઝેરી જનાવર દંશી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં વસવાટ કરતા માંડાભાઈ ગલાભાઈ છેલાળા નામના બેતાલીસ વર્ષના ખેડૂત ચારેક વર્ષથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. જેની તેઓને સારવાર આપવામાં આવી રહી હતી.
તે દરમિયાન છેલ્લા ત્રણેક મહિનાથી માંડાભાઈને દવા લેવા છતાં ઉંઘ આવતી ન હતી. તેના કારણે કંટાળી ગયેલા માંડાભાઈએ ગઈકાલે સવારે પોતાના ઘરે એક ઓરડામાં આવેલા પંખાના હુંકમાં દોરી બાંધી ગાળીયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો છે. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું પાંચાભાઈ ગલાભાઈ છેલાળાએ પોલીસમાં જાહેર કર્યું છે. શેઠવડાળા પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
જામજોધપુર તાલુકાના બમથીયા ગામના સેજીબેન પૂનાભાઈ કાંબરીયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધા ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે એક ઓરડાનો દરવાજો ખોલવા જતા ત્યાં છુપાઈને બેસેલા કોઈ ઝેરી જનાવરે તેઓના પગની આંગળીમાં દંશ માર્યાે હતો. સારવારમાં ખસેડાયેલા આ વૃદ્ધાનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર નાથાભાઈ કાંબરીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial