Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા બન્યું ખાડાનગરઃ નગરજનો ત્રાહિમામ
ખંભાળીયા તા. ૫: ખંભાળીયામાં પ્રવેશતા જ રેલવે સ્ટેશન પાસે ખાડાથી સ્વાગતથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્વાગત ગેઈટ પછી ફરીથી ખાડાથી સ્વાગત થાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં લોકો ગામમાં દાખલ થાય તો વેલકમ ગેઈટથી સ્વાગત થાય, રાણા પ્રતાપની પ્રતિમા આવે આનંદિત થાય, પણ જેવું રેલવે ફાટક પસાર થાય એટલે સ્ટેશન રોડ સુધીમાં એટલા ખાડા છે કે વાહન ચાલક ખાડા બચાવી જ ના શકે.
ત્યાંથી આગળ જાવ તો ફરી રેલવે સ્ટેશન આગળ જુના જકાતનાકા પાસે ખાડાથી સ્વાગત થાય!! નગર ગેઈટથી શારદા સિનેમા જાવ તો ઢગલાબંધ ખાડા અને જોધપુર ગેઈટ જતા રસ્તા પર રોકડીયા હનુમાન મંદિર પાસે પણ ખાડા !!
પાલિકાની દા.સુ. ગર્લસ્ સ્કૂલ પાસે અનેક વખત રીપેરીંગ (કેવું થતું હશે ?) પછી પણ ખાડાએ પોતાનો અડિંગો જમાવેલો જ છે. તો ચાર રસ્તાથી નગર ગેઈટ રસ્તો ચોમાસામાં વરસતા વરસાદે બનવા લાગેલો અને હવે દિવસોથી વરસાદ પડતો નથી ત્યારે રોડ બનતો નથી !!
રેલવે સ્ટેશન રોડ નવો બન્યો પણ નબળું કામ હોય અનેક સ્થળે ખાડા પડી ગયા છે, તો સી.સી.રોડમાં ડામરના થીંગડા મારીને કામ ચલાવાય છે !!
કરોડોની ગ્રાન્ટો તથા રસ્તા રીપેરીંગની પણ ગ્રાન્ટો આવી છે. ત્યારે તેનો 'સદુપયોગ' કરવા માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial