Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માથા તથા વાંસામાં ઘસડાયાના નિશાન જોવા મળ્યાઃ
જામનગર તા. ૫: કાલાવડ નજીકના રણુજામાં યોજાયેલા લોકમેળામાં ભાગ લેવા માટે આવેલા ધ્રોલના ગોલીટા ગામના એક યુવાન બુધવારે સવારે બેભાન તથા ઘવાયેલી હાલતમાં મળી આવ્યા પછી સારવાર દરમિયાન મોતને શરણ થયા છે. તેમના મોટાભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે તપાસ આરંભી છે.
ધ્રોલ તાલુકાના ગોલીટા ગામના જગદીશભાઈ નાગજીભાઈ વાઘેલા (ઉ.વ.૩૩) નામના યુવાન ત્રણ દિવસ પહેલાં કાલાવડ નજીક આવેલા રણુજામાં યોજાયેલા મેળામાં આવ્યા હતા.
ત્યાંથી બુધવારે સવારે જગદીશભાઈ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આ યુવાન માથાના પાછળના ભાગમાં તથા ડાબી બાજુના પડખામાં છોલાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા જગદીશભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ અરવિંદભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial