Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણઃ દસ પૈકી, આઠ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ

જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી જામનગરમાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા.

તાલુકા સ્વાગતમાં અરજદારોના ૧૦ પ્રશ્નો પૈકી ૮ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. જે પ્રશ્નોમાં કોર્પોરેશન વિસ્તારના રાજમોતી ટાઉનશીપમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્નો, ગેર કાયદેસર બાંધકામ દુર કરાવવું, લાઈટબીલને લગત રજૂઆત, રસ્તાનું દબાણ દુર કરવા અંગે, ન્યુ જામનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ અંગે, વેચાણ નોંધ કરાવવા બાબતનો પ્રશ્નો, નિરાધાર વૃદ્ધ સહાય મળવા બાબત, ગંગા સ્વરૂપા આર્થિક સહાય મળવા બાબત વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જે પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું.

અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેકટર કેતન ઠક્કરે જાગૃત નાગરિક પ્રત્યેની જવાબદારી નિભાવવા બદલ અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા ઉપરાંત વિવિધ સરકારી યોજનાકીય લાભો વિષે પણ જાણકારી આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જે બદલ અરજદારઓએ કલેકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહીત તાલુકા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh