Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરના પરિપત્રની હાર્ડકોપી નહીં મળતા ભાંગરો વટાયો?
જામનગર તા. ર૯: જામનગર તાલુકાની શાળામાં પરિપત્રની અવગણના કરીને આચાર્યનો ચાર્જ શિક્ષકને સોંપવામાં આવ્યો છે. આથી શિક્ષણ વિભાગમાં ચર્ચા જાગી છે.
જામનગર તાલુકાની શ્રી ગૌસેવા કુમાર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરદેવસિંહ સુરેન્દ્રસિંહ પરમારને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવતા ચર્ચા જાગી છે, કારણ કે રાજ્યના શિક્ષણ નિયામકના ૧પ એપ્રિલ ર૦રપ ના પરિપત્ર પછી આ ચાર્જ સોંપવામાં સિનિયોરિટીને ધ્યાનમાં રાખવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
જો કે, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના મંતવ્ય મુજબ આ બાબતે કોઈ લેખિત પરિપત્રની નકલ મોકલાવી નથી, પરંતુ હકીકતે ઓન લાઈન પરિપત્ર અપલોડ કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં લેવાયો નથી. પરિણામે આ ભાંગરો વાટવામાં આવ્યો છે.
જો કે, આ પછી તા. ર૧-૪-ર૦રપ ના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બે દિવસમાં સિનિયરને ચાર્જ સોંપવાનો આદેશ પણ કરી દીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial