Advertisement
Author: નોબત સમાચાર

મોડીરાત્રે રસ્તા વચ્ચે ખુંટીયા સાથે બાઈક ટકરાઈ પડતા બે વ્યક્તિના નિપજ્યા મૃત્યુ

બાઈકમાં સાથે રહેલા ત્રીજાને થઈ ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: લાલપુરના ચાંદીગઢ ગામ પાસે બુધવારની રાત્રે ત્રિપલ સવારીમાં જતા બાઈક આડે ખુંટીયો ઉતરતા ત્રણેય વ્યક્તિ ફેંકાઈ ગયા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે અને ત્રીજાને ઈજા થઈ છે.

લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામમાં આવેલા એક ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મુકેશ તેરસીંગ ડાવર (ઉ.વ.૩૦) તથા સિક્કાની જીઈબી કોલોનીમાં રહેતા ભરતસિંહ ભૂપતસિંહ જાડેજા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ તેમજ મુકેશ ડાવરના સાળા બુધવારે રાત્રે એક મોટરસાયકલમાં સિક્કાથી લાલપુર તરફ જઈ રહ્યા હતા.

તેઓ જ્યારે ચાંદીગઢ રોડ પર રૂપાવટી હોટલ પાસે રાત્રે બારેક વાગ્યે પહોંચ્યા ત્યારે રોડ પર અચાનક આખલો આવી જતાં તેની સાથે બાઈક ટકરાઈ પડ્યું હતું. બાઈક પરથી મુકેશ ડાવર તથા ભરતસિંહ જાડેજા સહિતના ત્રણેય વ્યક્તિ ફંગોળાઈ ગયા હતા. અકસ્માતના સ્થળે ધસી આવેલા અન્ય લોકોએ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. તે દરમિયાન ગંભીર ઈજા પામેલા ભરતસિંહ અને મુકેશ ડાવરનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મુકેશના સાળાને ઈજા થઈ છે. બનાવની યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતા દોડી આવેલી લાલપુર પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh