Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી મેળો શરૂ થશે કે કેમ?
જામનગર તા. ૯: જામનગરના પ્રદર્શન મેદાનમાં લોકમેળો યોજવા મુદ્દે શરૂ થયેલા કાનૂની જંગ વચ્ચે ગઈકાલે સેશન્સ કોર્ટના આદેશથી નીચેની કોર્ટમાં જામ્યુકોના વકીલ અને કોર્ટ દ્વારા આમંત્રિત કોર્ટ મિત્રોએ દલીલો રજૂ કરી હતી. તે પછી આજે શનિવારની અને આવતીકાલની રજાના અંતે સોમવારે આ મુદ્દે નિર્ણય લેવાનું અદાલતે ઠરાવ્યું છે. ત્યારે કાલથી મેળો શરૂ થશે કે કેમ? તેના પર મીટ મંડાયેલી છે.
જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલુ વર્ષે તા.૧૦થી તા.૨૪ ઓગસ્ટ વચ્ચે શ્રાવણી મેળો યોજવા માટે એડીચોટીનંુ જોર લગાવી રહેલી જામનગર મહાનગરપાલિકા સામે થોડા દિવસ પહેલાં એક આસામીએ કોર્ટમાં દાવો કર્યાે હતો. પ્રદર્શન મેદાનમાં સ્થળાંતરીત કરવામાં આવેલા એસટી ડેપોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાશે તેવી ભીતિ સાથે કરાયેલા દાવાને નીચલી અદાલતે કાઢી નાખી દંડ ફટકાર્યાે હતો.
તે હુકમ સામે આ આસામીએ સેશન્સ કોર્ટમાં કરેલી અપીલ પછી અદાલતે તે કેસ અંગે વધુ સુનાવણી કરવા અને નિર્ણય લેવા નીચેની કોર્ટને સૂચન કરી હંગામી સ્ટે આપ્યો હતો અને દંડનો હુકમ રદ્દ કર્યાે હતો. તેથી ગઈકાલે નીચેની અદાલતમાં આ મુદ્દે ફરીથી સુનાવણી કરવામાં આવી હતી.
અદાલતમાં જામ્યુકોના વકીલ તથા કોર્ટ દ્વારા આમંત્રિત કરવામાં આવેલા કોર્ટ મિત્રો (એડવોકેટ્સ) વચ્ચે ચાલી રહેલી દલીલોની સુનાવણી ગઈકાલે સાંજે પૂર્ણ થયા પછી તેનો ચૂકાદો સોમવાર પર મુલત્વી રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તા.૧૦ એટલે કે આવતીકાલથી ત્યાં મેળો શરૂ કરવાની જામનગર મહાનગરપાલિકાની નેમ હતી અને તે મુદ્દો કોર્ટ મેટર બનતા અને તેમાં વિવિધ વળાંકો આવતા આ મુદ્દો ચકચારી બન્યો છે અને તેમાંય તા.૧૧ના દિને ચૂકાદો મુલત્વી રખાતા આવતીકાલથી પ્રદર્શન મેદાનમાં મેળો શરૂ થાય છે કે કેમ? તે જોવાનું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial