Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિનું પોલીસ દ્વારા નોંધાયું નિવેદનઃ
જામનગર તા. ૫: જામનગરના ગોકુલનગરમાં વસવાટ કરતા એક પ્રૌઢાએ ગઈકાલે અકળ કારણથી બાથરૂમમાં જઈ જલદ પ્રવાહી પી લીધુ હતું. તેઓનંુ સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના પતિનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરીમાં રહેતા મનસુખભાઈ પરસોત્તમભાઈ ચિત્રોડા નામના કુંભાર વૃદ્ધના પત્ની કંચનબેન (ઉ.વ.૫૭) નામના પ્રૌઢાએ ગઈકાલે બપોરે પોતાના ઘરે બાથરૂમમાં જઈ કોઈ કારણથી જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું.
આ બાબતની જાણ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પતિ મનસુખભાઈએ પોલીસને જાણ કરી છે. સિટી સી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી મનસુખભાઈનું નિવેદન નોંધી તેમના પત્નીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial