Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીમાં આયોજીત રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં
ખંભાળિયા તા. પઃ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામના સરપંચ પ્રવિણભાઈ ગઢવી અને ધરમપુર ગામના સરપંચ રાકેશભાઈ નકુમને દિલ્હીમાં ગુજરાતના સરપંચો અને આગેવાનો માટે આયોજિત ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. પંચાયતો રાજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ તાલુકાઓના પ્રતિનિધિઓ અને સરપંચોની પસંદગી કરીને તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છેે.
ખંભાળિયા તાલુકાના બેહ અને ધરમપુર ગામના બન્ને સરપંચો દિલ્હીમાં તાલીમ લેવા પહોંચ્યા હતાં. આ કાર્યક્રમમાં ભાગ લેવાથી સરપંચ પ્રવિણભાઈ ગઢવી અને સરપંચ રાકેશભાઈ નકુમને ગ્રામીણ કક્ષાએ વિકાસ કાર્યોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે જરૂરી તાલીમ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. બેહ ગામ અને ધરમપુર ગામ માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે, જ્યાં તેમના સરંપચને રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. આ તાલીમથી ગામના વિકાસ કાર્યોમાં નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખંભાળિયા તાલુકાના આ બન્ને સરપંચોની ગામના વિકાસ કાર્યો માટેની નોંધ સમગ્ર પંથકમાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial