Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડીગેઈટના કડીયાવાડમાં અનોખી થીમ સાથે ગણેશોત્સવ
આજે ગણેશ ચતુર્થીથી ઠેર-ઠેર ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે બેડીગેઈટના કડિયાવાડ વિસ્તારમાં ધર્મ મિત્ર મંડળ દ્વારા અદ્ભુત અને આકર્ષક નેચરલ થીમ હેઠળ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ ગ્રુપ દ્વારા ર૪ વર્ષથી અહીં ગણેશ ઉત્સવ ઉજવાય છે. જેમાં દૂર-દૂરથી નગરજનો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. એક અનોખી થીમ જેમાં ભગવાન ગણેશજી કથાકાર તરીકે બીરાજમાન છે અને તમામ ભગવાન આ કથાનું શ્રવણ કરી રહ્યા હોય તેવું દૃશ્યમાન થઈ રહ્યું છે. ગણેશજીના દર્શન દિવસે પણ અદ્ભુત અને આકર્ષક દેખાય છે, જ્યારે રાત્રિના રોશનીની ઝગમગાટ વચ્ચે ગણપતિબાપ્પાની આભા કાંઈક ઓર ઝળઝળાટથી ઝગમગી ઊઠે છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial