Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિવાસી અધિક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૨૭: જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં તેઓએ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેના જરૂરી પગલાઓ લેવા લગત વિભાગના અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે અગાઉની બેઠકમાં સોંપવામાં આવેલી કામગીરી અંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં અકસ્માત સંભવિત વિસ્તારો જેવા કે કનસુમરા પાટિયા થી સાંઢિયા પુલ સુધી, લાલપુર ચોકડી થી મોરકંડા, શેખપાટ પાટિયા, જાંબુડા પાટિયા, અની હોટેલ હાઇવે, સોયલ ટોલનાકા, જાયવા પાટિયા, વસઈ પાટિયા, જામખંભાળિયાથી જામનગર રોડ, મેઘપર ગામ નજીક સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ માર્ગ સલામતી અંગે વિવિધ શાળાઓમાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે તે અંગે સમીક્ષા થઈ હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે બ્લેક સ્પોટ શોધી કાઢવા તેમજ અકસ્માત સંભવિત વિસ્તારોમાં સાઈન બોર્ડ લગાવવા અંગે અને માર્ગ અકસ્માતો ઘટાડવાના પગલાં લેવા લગત અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં ડીવાયએસપી વી.કે.પટેલ, પ્રાંત અધિકારીઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial