Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આયોજનઃ
જામનગર તા. ર૬: જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જામનગર દ્વારા આગામી તા. ૧૩-૯-ર૦રપ ના જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૧૮ મુજબના ચેકના કેસ, બેંક રિકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લેબર તકરારના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ (ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ) અને અન્ય સિવિલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હક્ક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફિક પરફોર્મન્સ) વિગેરે પ્રકારના કેસો માટે નેશનલ લોકઅદાલતનું નાલ્સાના એક્શન પ્લાન મુજબ આયોજન કરવામાં આવશે.
જેથી જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને તેઓના ઉપરોક્ત જણાવેલા પૈકીના પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વકીલશ્રી મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય, તો તે કોર્ટના કેસ લોકઅદાલતમાં મૂકવા માટે સંપર્ક કરવા જણાવાયું છે. લોકઅદાલત એ તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે, જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાગી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે.
વધુમાં લોકઅદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુક્સાની થતી નથી અને સમયની બચત થાય છે. લોકઅદાલત અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જામનગરના સંપર્ક નં. ૦ર૮૮-રપપ૧૦૧૬ પર સંપર્ક સાધી શકાશે, તેમજ દરેક જિલ્લા-તાલુકા કક્ષાની કોર્ટમાં જો કેસ પેન્ડીંગ હોય, તો જે-તે જિલ્લા-તાલુકા કોર્ટનો સંપર્ક કરવા માટે સચિવશ્રી તથા સિનિયર સિવિલ જજશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial