Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા
દ્વારકા તા. ર૬: ઓખામંડળના ભિમરાણા ગામ નજીક દરિયા કાંઠા વિસ્તારમાં ઓએનજીસી, સન પેટ્રોકેમિકલ્સ પ્રા.લિ. દ્વારા ૧પ૦ એકર જમીનમાં ઓઈલ-ગેસ માટેનો પ્રોજેક્ટ સ્થપાનાર છે.
આ માટેની લોકસુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આગામી તા. ર૯ ઓગસ્ટના ભિમરાણામાં રાખવામાં આવી છે. આમ દ્વારકા ક્ષેત્ર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. અનેક કંપનીઓ દવારકા પંથકમાં આવી રહી છે.
થોડા દિવસ પહેલા દ્વારકાના વસઈ નજીક સરકારે એરપોર્ટની પણ જાહેરાત કરી હતી. આમ દ્વારકા પંથકમાં પ્રવાસન સાથે ઊર્જા, અન્ય ઉદ્યોગો પણ સ્થપાઈ રહ્યા હોવાથી રોજગારીની તકો વધુ ઉજળી બનશે.
આ ઉપરાંત મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ, આર.એસપીએલ કંપની પણ પોતાના ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ છે. ફિશિંગ ઉદ્યોગ પણ મોટા પાયે ચાલી રહ્યો છે.
આમ નવા નવા પ્રોજેક્ટ માટે જમીન ખરીદવામાં આવી રહી છે, પરિણામે જમીનના ભાવો પણ ઊંચકાયા છે. પરિણામે લોકોને ખેડૂતોને જમીનના સારા ભાવ મળશે. સાથોસાથ દ્વારકા ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આ વિસ્તારે સારૂ કાઠું કાઢ્યું છે. એકંદરે દ્વારકા પંથક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial