Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચાયત-પાલિકાના વિવાદ પછી નિર્માણધિન દીવાલનું કામ પણ અટકાવાયું
ખંભાળીયા તા. ૬: ખંભાળીયા નગરપાલિકામાં તાજેતરમાં શક્તિનગર સહિત નજીકની અનેક ગ્રામ પંચાયતોના ઘણા બધા વિસ્તારોને સમાવી લેવામાં આવ્યા છે, ત્યારે અમૃત-૨ યોજના અંગર્ગત પાણીની ટાંકી તથા લાઈનોના કામે ખંભાળીયા નગરપાલિકાને શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની સ.નં.૩૪ પૈકી જે બાંધકામનું દબાણ કર્યું છે તે સ્વૈચ્છાએ દૂર કરવા, નહીં તો ન.પા. સામે ગ્રામ પંચાયત કલમ ૧૦૫ અન્વયે દબાણ દૂર કરવાની નોટીસ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી મંત્રી દ્વારા અપાતા ભારે ચર્ચા જાગી છે.
ખંભાળીયા પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુરનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે ખંભાળીયા પાલિકાની કરોડોની પાણી પુરવઠા વિસ્તૃતીકરણની અમૃત-૨ યોજનામાં ત્યાં પાણીની ટાંકી લાઈનોનું કામ શરૂ થયું હતું જેમાં અઢી વીઘા જમીન ફાળવાઈ, તેના બદલે વધુ જમીનમાં કામ થયું હોવાથી પાલિકા દ્વારા માપણી કરાવીને આ જગ્યા મેળવવા કાર્યવાહી થશે.
નિયમ મુજબ પાલિકાના પાણી પુરવઠાના કામમાં જમીન જોઈતી હોય તો ગૌચરમાંથી પણ આપી શકાય. આ જમીન ગૌચરમાંથી કમી કરી અન્ય જમીન ગૌચરમાં રાખી શકાય.
જો કે, ગ્રામ પંચાયતના પાલિકા સાથે જમીનના વિવાદમાં આ જગ્યા પર પાલિકા દ્વારા તળાવનું થતું કામ પણ બંધ કરવા કોન્ટ્રાકટરને સૂચના અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial