Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા. ૩૧ના નગરના ૪૮૬મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે.
સૌ પ્રથમ ખાંભીપૂજનનો કાર્યક્રમ મેયર વિનોદભાઈ ખીમસુર્યાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. આ પછી જુદી જુદી પ્રતિમાઓને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટીના ચેરમેન નિલેષભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેશ શિંગાળા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ ક્કનાણી, વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, કમિશનર ડી.એન.મોદી વગેરે ઉપસ્થિત રહેશે.
રાત્રે ૯:૩૦ કલાકે ટાઉનહોલમાં નગર અમારૃં ભારે ગમતીલું ગામ નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial