Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પસાયા બેરાજાના ખેડૂતે કરી હતી અરજીઃ
જામનગર તા. ૨૭: જામનગર નજીકના પસાયા બેરાજા ગામના એક ખેડૂત સામે ફેન્સીંગમાં ઈલેકટ્રીક પ્રવાહ વહેતો મુકવાથી યુવાનનું મોત થયાનો ગુન્હો નોંધાયો હતો. તેમાં ખેડૂતને જામીન પર મુકત કરવાનો હુકમ કરાયો છે.
જામનગરના પસાયા બેરાજા ગામાં થોડા દિવસ પહેલાં એક યુવાન પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગયા હતા. ત્યારે નજીકમાં આવેલા એક ખેતર ફરતે લગાડાયેલી ફેન્સીંગમાંથી વીજ આંચકો લાગતા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા પંચકોશી એ ડિવિઝન પોલીસે કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ સામે ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરતા તેને રૂ.૧પ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ અશોક જોષી, મોહસીન ખારા, પ્રદીપ મકવાણા, સઈદ રૃંઝા, જયોતિ પરમાર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial