Advertisement
Author: નોબત સમાચાર

જીએસટી સ્લેબમાં કરાયેલા સુધારાને આવકાર

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી સ્લેબમાં કરવામાં આવેલા સુધારાને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ આવકાર આપી એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેનાથી લોકોને મોટી રાહત થશે. આ સુધારાને જીએસટીના પ, ૧ર, ૧૮ અને ર૮ ટકાના ચાર સ્લેબમાંથી ૧૨ ટકા અને ર૮ ટકાના સ્લેબને દૂર કરી પાંચ ટકા અને અઢાર ટકાના સ્લેબ કરવામાં આવ્યા છે. આ રીતે જીએસટીના બે સ્લેબ જ રાખવામાં આવ્યા છે.

બે સ્લેબ દૂર થવાથી આરોગ્ય અને વીમા પ્રિમિયમ સસ્તા થશે. નાના વાહનો સસ્તા થશે. શિક્ષણ સંબંધી વસ્તુઓને કરમુક્ત કરવામાં આવેલ છે. જેનો સીધો લાભ વિદ્યાર્થીઓ અને વાલીઓને મળશે. ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેમાં ખાસ કરીને ઘર વપરાશના ઉપકરણો સસ્તા થતા લોકોની ખરીદ શક્તિ વધશે. કૃષિ મશીનરી ઉપર ૧૮ ટકાને બદલે ૬ ટકા જીએસટી દર લાગુ પડતાં ખેડૂતોને સીધો ફાયદો થશે અને આનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચશે. તેમજ સાથોસાથ વેપારીઓ-ઉદ્યોગકારોને પણ ખૂબ જ મોટી રાહત મળેલ છે. જીએસટીના આ સુધારાથી આર્થિક વિકાસને વધુ વેગ મળશે તેવી આશા છે. સાથોસાથ જીએસટી નંબર મેળવવા તથા રીફંડ મેળવવામાં પણ સરળીકરણ કરવામાં આવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh