Advertisement
Author: નોબત સમાચાર

ઘુંટણ અને ખભાના નિષ્ણાત સર્જન દર મહિનાના ચોથા શુક્રવારે જામનગરમાં

રાજકોટની શિવ હોસ્પિટલમાં સેવા આપતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: રાજકોટના મહાપૂજાધામ ચોક, ૧પ૦ ફૂટ રીંગ રોડ, શિવ હોસ્પિટલમાં સેવા આપતા ઘૂંટણ અને ખભાના નિષ્ણાત સર્જન ડો. કૌશલ પટેલ હવે દર મહિનાના ચોથા શુક્રવારે જામનગરમાં દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે. ડો. કૌશલ પટેલ (એમ.એસ. ઓર્થો. - સાઉથ કોરીયા, એફઆઈએસએસ-ફ્રાન્સ) આર્થોસ્કોપી અને સ્પોર્ટસ ઈન્ઝરીના નિષ્ણાત છે અને તેઓ દ્વારા અત્યાર સુધીમાં ૩૦૦૦ થી વધુ સફળ આર્થોસ્કોપી (દૂરબીન વડે) સર્જરીઓ કરવામાં આવી છે.

જામનગરમાં તેમની ઓપીડી આગામી તા. ર૭-માર્ચ-ર૦ર૬ (શુક્રવાર) ના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ભગવતી ઓર્થોપેડિક હોસ્પિટલ, ૬૭-દિગ્વિજય પ્લોટ, જામનગરમાં યોજાશે.

જેમાં ઘૂંટણના લિગામેન્ટની ઈજા, ઘૂંટણની ગાદીની ઈજા, ઘૂંટણનો ઘસારો અને લાંબા સમયનો દુઃખાવો, ખભાના તાણિયાની ઈજા, વારંવાર ખભું ખસી જવું, ખભો જકડાઈ જવો તથા ખભામાં કેલ્શિયમ જમા થવા જેવી તકલીફોનું નિદાન અને સારવાર મળશે. ઓપીડીનો લાભ લેવા ઈચ્છુક દર્દીઓએ મો.નં. ૯૭ર૬ર ૩૮૭૦૭ ઉપર એપોઈન્ટમેન્ટ બુક કરાવવાની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh