Advertisement
Author: નોબત સમાચાર

દેશી દારૂના દૈત્યને નાથવા ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રીને દસ દિવસ સુધી લખાશે પોસ્ટકાર્ડ

બદીને નાથવા હજારો ગ્રામજનો મેદાનેઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૦: જામનગરના કાલાવડ નજીકના ગામોમાં દેશી દારૂના વ્યાપી ગયેલા દૂષણને ડામવા માટે આ ગામના રહેવાસીઓએ મુખ્યમંત્રીને હજારો પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન શરૂ કર્યંુ છે. દસ દિવસ સુધી મુખ્યમંત્રી આ પોસ્ટકાર્ડ પહોંચાડવામાં આવશે.

જામનગરના ગ્રામ્ય પંથકોમાં દેશી દારૂના વધતા દૂષણ સામે લોકોમાં રોષ પ્રસરી રહ્યો છે ત્યારે જામનગર તાલુકાના ધુતારપર ગામના રહેવાસીઓએ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખવાના અભિયાનનો પ્રારંભ કરાતા ચકચાર જાગી છે.

દેશી દારૂના વધતા જતા દૂષણના પગલે ધુતારપર, ધુડશીયા સહિતના ગામોમાં દેશીદારૂ બેફામ પણે વેચવામાં આવી રહ્યો છે. તેથી આ બંને ગામના રહેવાસી ઉપરાંત સુમરી, અમરાપર, જગા, મેડી, ખારાવેઢા, બજરંગપુર, વિજયપુર વગેરે ગામોના લોકોએ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh